કાઠિયાવાડમાં કો'ક દિ,... પાસવર્ડ એજ્યુકેશન મિત્રો આપણો આ એક ખૂબ જ પ્રસિદ્ધ અને સાંભળેલો દુહો છે. પાલુભાઈ ગઢવીનો કે,,, "કાઠિયાવાડમાં કો'ક દિ અહીં ભુલો પડય ભગવાન, પણ મારો થાજે મેમાન તારુ સવર્ગ ભુલાવું શામળા"; તો શા માટે કાઠિયાવાડમાં બીજે ક્યાંય કેમ નહી? જવાબમા અહીં ગોવિંદભાઈ ચારણના બે ચાર દુહામાં ચર્ચા કરવી છે કે, 1) " સુદામાંને દેતા સંપત્તિ તને રોકતી રાણીયું તોય, પણ દિકરો ખાંડીને ખવરાવે અમારી કાઠિયાવાડી કોય." સંગાવતી શગાળસા અને ચેલૈયો આ પ્રસંગ જાણીતો છે. 2)કયારેય કોઇ ભૂત મેમાન ગતી કરાવે એવુ સાંભળવા મળે? તો કે ના! તો અમારા કાઠિયાવાડમાં તો એવુ પણ બન્યુ ઈ કોણ તો,,,,, "ભોજન ઉતારા ભાવથી અહીં તો ભૂતની ભલકયુ જોય, પણ મર્દ પટાધર માઁગડો અમારી કાઠિયાવાડી કોય" આખી જાનને જમાડી સાહેબ વડની નીચે ઈતિહાસ આજે પણ સાક્ષી છે. 3)ચોર ચોરી કરવા આવે એના સન્માન હોય નહી પરંતુ અમારી કાઠિયાવાડમાં તો એવુ પણ બન્યુ ઈ કોણ તો,,, " તોળી આપ
ભક્ત બોડાણો (વિજયસિંહ બોડાણા) ગુજરાતનાં ખેડા જિલ્લામાં આવેલ ડાકોર ગામનો રહેવાસી હતો. ક્ષત્રિય કુળમાં જન્મેલા બોડાણા રણછોડરાય પ્રત્યે અપાર ભક્તિ ધરાવતા હતા. રણછોડરાયને પ્રસન્ન કરવા તેમની ૭૨ વર્ષની વય સુધી તેમણે દર છ મહિને હાથમાં તુલસી વાવેલું કુંડુ લઇ પગપાળા દ્વારકા સુધી યાત્રા કરી હતી. બોડાણાની ઉંમર થતાં તેનામાં અશક્તિ આવી અને છેલ્લી છેલ્લી યાત્રા દરમ્યાન તેણે મનમાં ફરી કદાચ નહી આવી શકવા માટે અફસોસ વ્યક્ત કર્યો. તેની આ ભક્તિથી રીઝાયેલા દ્વારકાધિશે તેને સ્વપ્નમાં આવીને કહ્યું કે એક ગાડું લઈને તે દ્વારિકાપુરી જાય. જ્યારે બોડાણો મહા મુસીબતે ગાડાની વ્યવસ્થા કરીને દ્વારિકા જાય છે, ત્યારે ભગવાન તેની સાથે ડાકોર જવા નીકળી પડે છે. આ કથા રણછોડ બાવની નામની પદ્ય રચનામાં સુંદર રીતે ગવાય છે. વિક્રમ સંવત ૧૨૧૨ની કારતક સુદ પૂનમના રોજ વિજયસિંહ બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઇને દ્વારિકાધીશનું બીજું સ્વરૂપ ડાકોરમાં પધાર્યું હતું જે રણછોડરાય તરીકે ઓળખાય છે. ડાકોરનું રણછોડજી મંદિર જે આજે જોઈ શકાય છે તેનું નિર્માણ ગોપાલ જગન્નાથ તાંબવેકર નામના મરાઠી સદ્ગૃહસ્થે તે સમયે રૂ.૧ લાખના ખર્ચે ઇ.સ. ૧૭૭૨માં બંધાવ
માનનીય શિક્ષકશ્રી, આજે મારા પુત્રનો શાળામાં પહેલો દિવસ છે. થોડા સમય માટે તો એને બધું નવું અને અજાણ્યું લાગશે. હું ઇચ્છું કે તમે તેના પ્રત્યે મૃદુતા દાખવશો. આ એક એવું સાહસ છે જે તેને ખંડો ઓળંગાવી શકે. એ બધાં સાહસોમાં યુદ્ધો, દુર્ઘટનાઓ અને હતાશાઓનો સમાવેશ થઈ જાય છે. તેને તેનું જીવન જીવવા માટે શ્રદ્ધા, પ્રેમ અને હિંમતની જરૂર પડતી રહેવાની. એટલે, મારા વહાલા શિક્ષક, તમે એનો હાથ ઝાલીને એને એ બધું શીખવજો જે એણે શીખવાનું હોય… પણ બની શકે તો એને એ બધું ધીરજથી શીખવજો. એને શીખવજો કે દરેક દુશ્મન સામે એક મિત્ર હોય છે. તેણે એ જાણવું પડશે કે બધા માણસો સાચા અને ન્યાયી નથી હોતા. પરંતુ સાથેસાથે એને એ પણ જણાવજો કે દરેક કુટિલ માણસની સામે એક આદર્શવાદી વ્યક્તિ હોય જ છે, અને દરેક સ્વાર્થી રાજકારણીની સામે એક સમર્પિત નેતા હોય જ છે. સમય લાગશે એની મને જાણ છે, છતાં જો સમજાવી શકો તો બાળકને સમજાવજો કે ક્યાંકથી મળેલા પાંચ રૂપિયા કરતાં પોતે કમાયેલા એક રૂપિયાની કિંમત ઘણી વધુ હોય છે. એને હાર સ્વીકારવાનું શીખવજો અને જીતને માણવાનું પણ શીખવજો. શક્ય હોય તો એને ઇર્ષ્યાના વમળમાંથી બહાર ખેંચજો. એને મૌન હાસ્યનું રહસ
Comments
Post a Comment