પ્રસાદીનો સ્તંભ
જય સ્વામિનારાયણ..... કોઇ હરીભગત બહારગામથી નરનારાયણ દેવના દર્શન કરવાં આવતાં હોય અને જો દર્શન બંધ હોયને તો આ થાંભલાના દર્શન કરશે એને હું નરનારાયણ દેવના દર્શનનું ફળ આપીશ. આવું મહારાજે અમદાવાદમા વચન આપ્યું. અમદાવાદના ભક્તોએ આ સ્તંભ ના દર્શન કર્યાં જ હશે, પણ કદાચ કોઇને મહાત્યમ ખબર ન હોય તો જરૂર આગળ વાંચજો.... અમદાવાદ કાલુપુર મંદીરનું કામ પુર જોશમા ચાલે છે. ઇડરથી મંદીરના પથ્થરો લાવવામાં આવે છે. એક હરીભગત (નામ છેલ્લે કહીશ) શીખરમા મુકવાં માટે ૧૬૦ મણ વજનનો પથ્થર ગાડાંમા ચડાવ્યો. વધું વજન આવવાને લીધે બળદનો પગ મરડાઇ જાય છે અને બળદને ચાલવાની તાકાત રહેતી નથી. આ ભગતે બીજો કોઇ બળદ અથવા મજુર મળે એ માટે તપાસ કરી પણ કોઇ મળ્યું નથી. છેવટે વિચાર્યું કે આ બળદની જગ્યાએ હું રહી જાવ તો...! અને આ ભગત એ પથ્થર ગાડામાં ચડાવી અને પોતે ગાડું ખેંચવાં તૈયાર થાય છે. અને ચાલતાં ચાલતાં રસ્તાંમા ગામ ગોધાવી નજીક ગાડાનો ઇસોટો ભાંગી જાય છે. અને આ ભગત બળદની સામે જુવે છે ત્યાં ધોંસરું બળદની કાંધે અડતું જ ન હતું, આ બળદગાડું એમનામ ચાલતું હતું. અને આશ્ચર્ય નો કોઇ પાર નથી રહેતો, જીંદગી સફળ થઇ ગઇ. અને